Abtak Media Google News

ફિલ્મ તુમ્હારી શુલુ બાદ અભિનેત્રી વિદ્યા બાલન ની કોઈ જફિલ્મ આવી નથી.

હવે તે આગામી એક ફિલ્મમાં હ્યૂમન કેલ્ક્યુલેટર બનશે. જી હા શકુંતલા દેવીના જીવન પર આધારિત આફિલ્મ માટે વિદ્યા બાલને હામી ભરી દીધી છે.

આ ફિલ્મ કરવા માટે વિદ્યા ખૂબ જ ઉત્સાહીછે. અહીં નોંધપાત્ર છે કે અભિનેતા હૃતિક રોશન પણ આંકડા શાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક માં કામ કરી રહ્યો છે.ફિલ્મ મેકર અનુ મેનનએ વિદ્યા બાલનને આ ફિલ્મ માટે એપ્રોચ કરી છે.

વિદ્યા પણ પ્રખર ગણિત શાસ્ત્રી શકુંતલા દેવી ની ભૂમિકા ભજવવા માટે બેતાબ છે. ટૂંક સમયમાં આ ફિલ્મ માટે વિધિવત્ જાહેરાત કરવામાં આવશે. વિદ્યા બાલન હમેશા મહિલા પ્રધાન ભૂમિકા ભજવી રહી છે. શકુંતલા દેવી ગણિત શાસ્ત્રી હોવા ઉપરાંત એક સારા લેખિકા પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.