Abtak Media Google News

વાંકાનેરમાં ઉત્તરાયણના પર્વે પર પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયાપ્રેમીઓ, વનવિભાગ વાંકાનેર તેમજ વન્ય પ્રાણી અભ્યારણ રામપરા સેન્ચ્યુરી આયોજિત કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ માટે વાંકાનેરના જીવદયાપ્રેમીઓ ખૂબ જ જહેમત ઉઠાવી અઅબોલ પંખીઑને બચાવ્યા હતા. ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત કેમ્પમાં ખડેપગે કાર્યરત રહેલ.

દર વર્ષે ચીની માંઝા વાળા દોરાના કારણે અસંખ્ય પક્ષીઓ ઘવાય છે વાંકાનેરના કેમ્પ ખાતે ચાર કબૂતર અને એક રણ કાગડો ઘાયલ અવસ્થામાં લઇ આવેલ અને તેમની સારવાર કરી વાંકાનેર રામપરા સેન્ચ્યુરી ખાતે ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ રાખેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.