Abtak Media Google News

સભાસદ તરીકે ગેરલાયક ઠરવા અંગે ચૂંટણીપંચ અને રાજય સરકારને જાણ કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા સતત ૩ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા તેઓને સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાથી વોર્ડ નં.૧૮ની આ “સામાન્ય થી અનામત કક્ષાની બેઠક ખાલી પડતી હોવા અંગે મ્યુનિ. સેક્રેટરીએ મ્યુનિ. કમિશનરને જાણ કરતા આ અંગે ચૂંટણીપંચ અને રાજય સરકારને જાણ કરવામાં આવી હોવાનું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

કમિશનરે કહ્યું હતું કે, મ્યુનિ. સેક્રેટરીએ અત્રે પાઠવેલા પત્રમાં વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા સતત ૩ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ-૧૧ મુજબ કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા સભાસદ તરીકે મટી જવા અંગે મ્યુનિ. કમિશનરને જણાવાયું હતું.

વિશેષમાં જી.પી.એમ.સી. એકટ, ૧૯૪૯ની કલમ-૧૧ (૧) મુજબ કોર્પોરેટરની જગ્યા જે તારીખી ખાલી પડી હોય તે તારીખી ૩ (ત્રણ) માસમાં ત્યાં ચૂંટણી કરી જગ્યા પૂર્વી જ‚ર બનતી હોઈ. આ સંદર્ભમાં ચૂંટણીપંચ અને રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને જાણ કરવામાં આવેલ છે. આ બેઠક તા.૧૩-૮-૨૦૧૮ી ખાલી પડેલ છે તેમ પણ ચૂંટણીપંચને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.