Abtak Media Google News

વોર્ડ નં.૪માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઈ બોરીચા સોસાયટી, મિયાણાવાસ, આયસબાપીર રોડ તથા જયપ્રકાશનગરમાં ડ્રેનેજ હાઉસ કનેકશન ચેમ્બર તથા મેઈન લાઈનનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવેલ. આ કામગીરી રૂ.૪૨,૮૮,૦૦૦/-ના ખર્ચે થશે.

જેમાં ડ્રેનેજ હાઉસ કનેકશન ચેમ્બર તથા મેઈન લાઈન ઉકત વિસ્તારોમાં નાખવાની કામગીરી કરવામાં આવશે. આ વિસ્તારના લોકોને વધુ સારી ડ્રેનેજની સુવિધા મળશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અરવિંદભાઈ રૈયાણી, અશ્વીનભાઈ મોલિયા, દલસુખભાઈ જાગાણી, પરેશભાઈ પીપળીયા, જયોત્સનાબેન ટીલાળા, અશોકભાઈ લુણાગરીયા, સંજયભાઈ ગોસ્વામી, દેવદાનભાઈ કુગશીયા, ટીનાભાઈ બોરીચા, દિલીપભાઈ બોરીચા, અજયભાઈ લોખિલ, ભરતભાઈ ડાંગર, હિતેશભાઈ મઠીયા, સુભાષભાઈ વાંક, કૈલાશભાઈ જાગાણી, રામદેવભાઈ ભેસજાડીયા, અફઝલભાઈ ફના, રમેશભાઈ ડાભી, દિનેશભાઈ ચૌહાણ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.