ઉપલેટાના પાનેલી ગામ પાસે આવેલ ફુલઝર ડેમમાંથી ખેડુતોને પિયત માટે પાણીની માંગણી માટે મામલતદાર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજાયેલ હતા.પાનેલી, કોલકી, ભાયાવદર, ખારચીયા અને રબારીકા સહિતના ખેડુતો માટે ફુલઝર ડેમમાંથી ખેડુતોને પિયત માટે પાણી આપવામાં આવે તો ખેડુતો ઉભો પાક સુકાઈ રહ્યો છે તેના માટે લાભ થાય તેમ છે. જોકે જિલ્લા ભાજપના અગ્રણી મેહુલ ચંદ્રવાડીયાની આગેવાનીમાં મામલતદાર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો રજૂઆતને પગલે સરકાર દ્વારા પાંચ ગામોને ખેતીના પિયત માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.