Abtak Media Google News

વેલણ બદલવાથી નહીં પરંતુ વલણ બદલવાથી રોટલી સારી બને છે: પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર માર્ગદર્શન આપતા અપૂર્વમુની

વિશ્ર્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાપર, વેરાવળ, હડમતાળા, ભુણાવા, કોઠારીયા, વાવડી, લોઠડા, પડવલા આસપાસ આવેલી ઈન્ડસ્ટ્રીઓના ઉધોગપતિઓ માટે ગોંડલ રોડ સ્થિત સ્વામિનારાયણ વાડી ખાતે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા માંગલિક પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના મંચ પર ઉપસ્થિત રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતિર્થ સ્વામી તથા સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીનું ઉપસ્થિત પ્રતિષ્ઠિત ઉધોગપતિઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. પ્રગતિશીલ રાજકોટના આ ઉધોગપતિઓને રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ‘પાથ ઓફ પ્રોગ્રેસ’ વિષય દ્વારા ફીઝીકલ પ્રોગ્રેસ, ઈકોનોમીકલ પ્રોગ્રેસ, સોશિયલ પ્રોગ્રેસ, મેન્ટલ પ્રોગ્રેસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ આ પાંચ મુદા પર ખુબ સુંદર રીતે પ્રેરક ઉદબોધનનો લાભ આપ્યો હતો.

4
GUJARAT NEWS | RAJKOT

પૂજય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે સમૃદ્ધિને અપડેટ કરી, પણ સાધનાને અપડેટ નથી કરી. સાધનોથી અપડેટ ન થવાય, સાધનાથી જીવન સુદ્રઢ થાય. જો પોતાના પરિવારને સમય ન આપી શકીએ તો લાખ ‚પિયા પણ રાખ સમાન છે. આપણી દોટ લોકપ્રિય થવાની છે જેથી પરીવારપ્રીય નથી થઈ શકતા. પૈસા વધ્યા છે, પરંતુ પૈસાને સાચવવાની વૃત્તિ ઘટી છે, વેલણ બદલવાથી રોટલી સારી ન થાય, વલણ બદલવાથી થાય છે. બીએપીએસના સંતોએ પોતાના લૌકિક કુટુંબને છોડીને સમગ્ર વિશ્ર્વને પોતાનું કુટુંબ બનાવવાનો બૃહદ વિચાર સાથે રાખ્યો છે. જીવનમાં બધા જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી.

વધુમાં પૂજય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે, આજના આધુનિક માનવીને શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક પ્રોગ્રેસની સાથે સાથે જરૂર છે આધ્યાત્મિક પ્રોગ્રેસની વૈજ્ઞાનિકો પણ હવે ઈન્ટેલિજન્ટ કવોશન્ટ, ઈમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે. પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઈ વિશ્ર્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજને એમના ‘અલ્ટીમેટ ટીચર’ ગણાવી જણાવે છે કે, ‘પ્રમુખસ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મુકી દીધો છે.’ જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધી જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. એ વાત પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌ કોઈને શીખવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.