Abtak Media Google News

રાજય સરકાર દ્વારા ર્માં નર્મદા મહોત્સવની ઉજવણી સમગ્ર રાજયમાં થઈ રહી છે. જેના અનુસંધાને રાજકોટના વોર્ડ નં.૫ અને ૯માં નર્મદા યાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૫માં રણછોડનગર ખાતેથી યાત્રાને ગુજરાત

Advertisement

મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ વોર્ડ નં.૯માં રૈયા ચોકડી ખાતેથી યાત્રાને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી,મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર ક્રિષ્નાબેન કિયાડા, અશ્ર્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી, ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ડવ સહિતના હાજર ર્હયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.