Abtak Media Google News

યાત્રીઓની સુવિધા માટે એક દિવસીય હોલી ડે ટ્રીપની વ્યવસ્થા

બૂકિંગ કાલથી આઈઆરસીટીસી અને નામાંકિત રિઝર્વેશન ઓફિસ પરથી શરૂ થશે

પશ્ચિમ રેલવે દ્વારા આગામી છઠ પૂજાને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે ૧૩ નવેમ્બર શુક્રવારે પોરબંદર-મુઝફફરપુર વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની એક દિવસીય વ્યવસ્થા કરાઈ છે. ટ્રેન નંબર ૦૯૨૬૯/૦૯૨૭૦ પોરબંદર-મુઝફફરપુર-પોરબંદર વિશેષ ટ્રેન સ્પેશિયલ ભાડા સાથે ૧૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ પોરબંદર સ્ટેશનથી ફકત એક જ ટ્રીપ માટે ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર ૦૯૨૬૯ પોરબંદર-મુઝફફરપુર સ્પેશિયલ ટ્રેન ૧૩ નવેમ્બર શુક્રવારે સાંજે ૪:૩૦ વાગ્યે પોરબંદરથી ઉપડશે. રાજકોટ તેજ દિવસે રાત્રે ૮:૫૫ વાગ્યે અને મુઝફફરપુર ત્રીજા દિવસે સાંજે ૬:૧૦ વાગ્યે પહોંચશે. એ જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯૨૭૦ મુઝફફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન મુઝફફરપુરથી ૧૬ નવેમ્બર, ૨૦૨૦ (સોમવાર)ના રોજ બપોરે ૧૫:૧૫ કલાકે ઉપડશે. રાજકોટ ત્રીજા દિવસે સવારે ૧૦:૩૫ વાગ્યે અને પોરબંદર બપોરે ૧૫:૧૦ કલાકે પહોંચશે. આ ટ્રેન ટ્રીપ દરમિયાન બંને દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, પાલનપુર, આબુ રોડ, મારવાડ જં., બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, અલવર, રેવારી જં., ગુંડગાવ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાઈ રોહિલા, દિલ્હી જ. મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોંડા જં., ગોરખપુર, સિસ્વા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સગૌલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મહેસી સ્ટેશનો ઉપર ઉભી રહેશે

આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી-૩ ટાયર, સ્લીપર કલાસ અને સેક્ધડ કલાસ સિટિંગ કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. ભારત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને ટ્રેનના સમય થી ૧:૩૦ કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા રેલ તંત્ર દ્વારા યાત્રીઓને અપીલ કરવામાં આવી છે. ટ્રેન નં.૦૯૨૬૯નું બુકિંગ કાલથી આઈઆરસીટીસી અને નામાંકિત રિજર્વેશન ઓફિસો પરથી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.