Abtak Media Google News

હાલના સમયમાં બધાની લાઈફ ભાગદોડ વાળી થઈ ચૂકી છે જેથી દરેક માણસ રાત્રે સૂવાનો સમય મળે તેની રાહ જોતો થઈ ચૂક્યો છે, અને  દિવસભર ભારે કામકાજ બાદ દરેક વ્યક્તિ આરામથી ઊંઘ લેવાનું પસંદ કરતો હોય છે, પરંતુ કેટલાક લોકોને ઊંઘમાં ઝટકાનો અનુભવ થાય છે. શું તમને પણ આવો અનુભવ થાય છે. એક અહેવાલ મુજબ 60 થી 70 ટકા લોકોને સૂતા બાદ આવા ઝટકાનો અનુભવ થાય છે. માનવમાં આવે છે કે આ ઝટકા ત્યારે આવે જ્યારે વ્યક્તિ કાચી ઊંઘમાં હોય છે.

ઝટકા લાગવા પાછળ લોકો અલગ અલગ કારણો જણાવે છે. કેટલાકનું કહેવું છે કે તેમના શરીરમાં ઝટકા ત્યારે આવે છે જ્યારે તેઓ સપનામાં પડી ગયા હોય અથવા કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય છે. એક અહેવાલ અનુસાર સૂતા સમયે માંસપેશિઓમાં ખેંચાણ હોવાને કારણે આપણે આવા ઝટકાનો અનુભવ થાય છે. સાથે એવું પણ જણાવ્યું કે માંસ પેશીઓમાં ખેંચાણ થવાનું કારણ સાઉન્ડ અને લાઈટ હોય છે.

વૈજ્ઞાનિક કારણો મુજબ થાકનો અનુભવ, તણાવમાં રહેવું અથવા કેફિનનું વધુ સેવન કરવાથી સૂતા સમયે ઝટકા લાગી શકે છે. જોકે હજુ સુધી કોઈ સ્ટડી કે રિપોર્ટમાં આ વાતની પુષ્ટી થઈ નથી. હેલ્થ એક્સપર્ટસ મુજબ સાંજના સમયે કરવામાં આવેલી ફિજિકલ એક્ટિવિટી પણ ઝટકાનું એક કારણ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.