Abtak Media Google News

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવનિર્મિત અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો નાયબ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનો તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ ધુળેટીના શુભ દિને ગુજરાતના આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ્ હસ્તે, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી તેમજ સંસ્થાના દાતાઓ,હોદ્દેદારો, સમયદાતાઓ એવમ સંગઠનના સ્વયંસેવક મિત્રોની ઉપસ્થિતિમાં વિધિવત સંપન્ન થયો. આ શુભ અવસરે જગત જનની મા ઉમિયાના કૃપાપાત્ર બની પરેશભાઈ પટેલે રૂપિયા 1 કરોડનું માતબાર દાન આપી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનિયમ દાતા ટ્રસ્ટી બન્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મધ્યસ્થ કાર્યલય શુભ પ્રસંગે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે વિશ્વનું સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાનું ધામ વિશ્વ ઉમિયાધામ મંદિર ગુજરાત અને ભારતનું અગ્રગણ્ય પ્રવાસન ક્ષેત્ર બનશે. વધુમાં તેમણે કહ્યું કે વિશ્વ ઉમિયાધામ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેવું ભારતનું  મોટું પ્રવાસન ધામ બનશે. અહીં વિશ્વભરના લાખો લોકો મા ઉમિયાના દર્શનાર્થે આવશે. વિશ્વઉમિયાધામ પરિષર વિશ્વના પ્રવાસીઓ માટે પણ મહત્વનું ફરવાનું સ્થળ બનશે. ન માત્ર પ્રવાસન સ્થળ પરંતુ વિશ્વ ઉમિયાધામએ પાટીદાર સમાજની એકતાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.