Abtak Media Google News

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે ટેલિકોમ ઉદ્યોગની જેમ એકાઉન્ટ ખાતાની પોર્ટેબિલિટી તરફ કામ કરવા માટે બેંકોને પૂછ્યું છે જેમાં ગ્રાહક તેમના એકાઉન્ટ નંબરને જાળવી રાખી શકે છે, પછી ભલે તે બીજા બેન્કમાં જાય. નાયબ ગવર્નર એસ.એસ. મુંદ્રાએ જણાવ્યું હતું કે, “આ સ્પર્ધામાં વધારો કરવા અને ગ્રાહક સેવામાં સુધારો લાવવા માટે એક દૂરવર્તી પગલું હશે.” મુન્દ્રાએ અગાઉ જણાવ્યું હતું કે તકનીકી નવીનીકરણ અને આધારને ખાતા સાથે  જોડવું આના માટે થવું સહેલું બની શકે છે. નાખુશ બૅન્કિંગ ગ્રાહકો માટે, આ રાહત થઈ શકે છે આ પગલું લેવાથી બેન્કો માટે સરળ કાર્ય થવાનું નથી કારણ કે ઘણી છટકબારીઓ છે જે ટેક્નોલોજી અને ડેટા-ઇન્ટિગ્રેશન ફ્રન્ટ પર સંબોધિત કરવાની જરૂર છે. બેન્કબાઝાર ના સીઇઓ, અધિલ શેટ્ટી કહે છે, “બેંકોને તેમના એકાઉન્ટ નંબરિંગ સિસ્ટમ્સનું પુનર્ગઠન કરવું પડશે.તેમાં ઘણી  વિવિધ પદ્ધતિઓ છે અને તેમાં સ્ટ્રીમલાઈન કરવા માટે સમય લાગશે, આમાં તેમના સોફ્ટવેર એકીકરણ સિસ્ટમ્સમાં પણ ફેરફારનો સમાવેશ થશે.” ઇન્ફોસિસ ટેક્નોલોજિસના બેન્કિંગ સોલ્યુશન પ્રોડ્યૂસ, ફિનેકલ દ્વારા બેંક એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી પરનો એક અહેવાલ જણાવે છે કે આ સુવિધા યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્વરૂપોમાં પહેલેથી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.