Abtak Media Google News

ચારધામની જાત્રા કરી પરત ફરી તુલસીશ્યામ દર્શન કરી ઘરે જનારો યુવાન ધામમાં જ રોકાયો

રાજુલા તાલુકાના છતડીગા ગામે રહી ઘરનું ગુજરાન ચલાવતા મુકેશભાઇનું મુળ વતન રાજુલના ઝાંઝરડા ગામ તેના પરિવાર સાથે છતડીયા ગામે સ્થાઇ રહેતા હતા મુકેશભાઇને બે પુત્ર અને એક પુત્રી છે જે જેમાનો મોટો પુત્ર નરેન્દ્ર મુકેશભાઇ સોચા બે દિવસ પૂર્વ ચારધામની જાત્રા કરવા નીકળેલો પહેલા સતાધાર ત્યારબાદ જુનાગઢ ગીરનાર પરબધામ અને ચોથો તુલસીશ્યામ ૩ધામની પુર્ણ કરી ચોથો ધામ તુલસીશ્યામ લીધેલું જયારે આ યુવાન તુલસીશ્યામમાં આવેલા અતિ પૌરાણિક ગરમ પાણીના કુંડમાં ન્હાવા પડતા નરેન્દ્ર મુકેશભાઇ સોચા ઉમર વર્ષ અઢારનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ છે આ યુવાને ચારધામની જાત્રા પૂર્ણ કરી ચોથા ધામમાંથી પોતાનો પ્રાણ પંખેરું ઉડી ગયું.

આ બનાવની જાણ ગીરગઢડા પોલીસ સ્ટેશનની કરતા યુવાનના મૃતદેહ દેહને ઉના સરકારી હોસ્પિટલ લઇ આવે ત્યારબાદ તેનું પીએમ કરાવી તેના પરિવારજનોને આપેલ છે આ બનાવની વધુ તપાસ જમાદાર ડી.બી.જોષી ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.