Abtak Media Google News

હનુમાન જયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા પ્રત્યેક્ષ દેવતા સ્વરૂપે કરવામાં આવે છે. તેમની પૂજાનું ફળ જલ્દી જ મળે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ જ નહીં, આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે. હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઉતરી જાય છે.

Advertisement

હનુમાન જયંતી આજે છે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. ગ્રંથો અને માન્યતાઓ પ્રમાણે હનુમાન જયંતી દેશમાં વિવિધ મહિનાઓમાં ઉજવવામાં આવે છે, પરંતુ આ પર્વ ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. હનુમાનજી અમર છે. તેઓ રૂદ્રાવતાર માનવામાં આવે છે. હનુમાનજી બ્રહ્મચારી સ્વરૂપમાં પૂજાય છે. એટલે સવારે 4 થી રાતે 9 વાગ્યા સુધી તેમની પૂજાનું વિધાન છે.

પૂજાના મુહૂર્તઃ-
સવારે 10.50 થી બપોરે 12.25 સુધી
સાંજે 05.10 થી 06.45 સુધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.