Abtak Media Google News

સંઘના વરિષ્ઠ આગેવાન, સિનિયર એડવોકેટ સહિતના મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત

અધીવકતા પરિષદ ના 31 સ્થાપના દિવસ નિમિત્તે અધિવકતા પરિષદ નું સમેલન અધિવકતા પરિષદ રાજકોટ મહાનગર દ્વારા સ્થાપના દિન ની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંધ કાર્યાલય ખાતે તા.11ને  રવિવાર ના રોજ સવારે 10 થી 11 રાખવામાં આવેલ હતો. તેમાં રાજકોટ મહાનગર ના અધિવકતા ભાઈ ઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં ખાસ ઊપસ્થિત રહેલ અધિવકતા પરિષદ ના પ્રદેશ મંત્રી તથા વિદ્યાર્થી પરિષદના જુના કાર્યકર્તા  જયેશભાઈ જાની , સંઘના જૂની પેઢીના સ્વયંસેવક અને  પૂર્વ ડીજીપી ગિરીશભાઈ કે. ભટ્ટ , સિનિયર ધારાશાસ્ત્રી  જયદેવ ભાઇ શુક્લ અને  બાર  સોસીએશનના ઉપપ્રમુખ  પી.સી .વ્યાસ  હાજર રહેલા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અધિવ્ક્તા પરિષદ રાજકોટ મહાનગર જયપ્રકાશભાઈ ફુલારા એ અધિવ વક્તા પરિષદની કામગીરીની માહિતી આપેલ હતી. તથા અધી વક્તા પરિષદના પ્રદેશ મંત્રી જયેશભાઈ જાની દ્વારા પરિષદના કાર્યક્રમથી માહિતગાર કરેલ હતી. સિનિયર અધીવક્તા  ગીરીશભાઈ કે. ભટ્ટ દ્વારા સંગઠન ને મજબૂત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલુ હતું.

Img 20220915 Wa0327

કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી દીપ પ્રાગટ્યમાં  ગીરીશભાઈ ભટ્ટ, જયેશભાઈ જાની, જય પ્રકાશભાઈ ફુલારા જોડાયેલા હતા્. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શૈલેષભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ સાવલિયા, કપિલ ભાઈ શુક્લ,હસમુખ ભાઈ ગોહેલ, જીતેન્દ્રભાઈ ગોસ્વામી તથા સરોજ બેન  દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.