Abtak Media Google News

શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મઘ્યે મહાવીર જયંતિની ઉજવણી પ્રસંગે ગ્રામજનોની પ્રભાત ફેરી નીકળી હતી. બપોરે હાલરડા સ્પર્ધા યોજાયેલ.

પ્રવચનમાં ગુરુદેવે જણાવેલ કે અહિંસાના અવતાર ભગવાન મહાવીરના ચિંઘ્યા રાહે ચાલવાથી જ શાંતિ મળશે. વધુમાં ઉમેર્યુ હતું કે તન નાનુ, મન મોટું અને ધન થોડું રાખવાથી સમાધિ મળશે.

ક્ધયા મંડળ અને પ્રાથમિક શાળાની કુમારિકાઓ એ 14 સ્વપ્ન, જન્મ વધામણાના નૃત્યની પ્રસ્તુતિ કરેલ. ગૌ માતા ચડાવવાનો લાભ ડો. મનુભાઇ અને ઇન્દુબેન શાહ હ. ધ્રુમન ધારિણી, ડો. પરમ ડો. જુઇ શાહે લીધેલા સિઘ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના પાત્રની પ્રસ્તુતિ ભાવેશભાઇ અને હીનાબેન દામાણીએ કરેલ, તા.31 ના સવારે 9.30 થી 10.30 કલાકે સંવત્સરી પર્વ પ્રવચન અને બપોરે 2.30 કલાકે આત્મ વિશુઘ્ધિ આલોયણા યોજાશે. તપોવન, ધુમલીના બાલક-બાલિકાઓએ અજન્મિકા દીકરી કાર્યક્રમ રજુ કરેલ. તા. 18/9 ના માતુશ્રી રમીલાબેન હરકીશનદાસ બેનાણી પરિવાર તરફથી ઘરલાણીનું આયોજન કરાયું છે.

પર્યુષણમાં તમારૂ ચાલે ત્યાં ‘જતું કરો’ ન ચાલે ત્યાં ‘જતું કરતા’ શીખો: ધીરજમુનિ

Dhir

પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમજાવે છે કે સમય અને સરિતા કોઇની પ્રતિક્ષા કરતા નથી. જીવનમાં પર્યુષણ પર્વ આવ્યા અને ચાલ્યા ગયા  પુણ્યના યોગે પર્વ મળ્યા પણ ફળ્યા ખરાં?

પર્વમાં દિવસોમાં સાધનાના ત્રણ સૂત્રને આત્મસાત કરવા પુરૂષાર્થ જગાડવો જરુરી છે. પ્રથમ સૂત્ર છે. નો ઓવર સ્પીક, સ્વયંની શાંતિ માટે વધુ પડતું બોલવું નહી આજના કાળમાં ઝઘડા ચીજના નહિ જીદના હોય છે. દ્રૌપદીના છ અક્ષરમાં સિકસર લાગી ગઇ અંધે જાય અંધા મહાભારતનું 18 દિવસ યુઘ્ધ સર્જાર્યુ માટે બોલવામાં બુઘ્ધ બનવું જરુરી છે.

બીજું સૂત્ર છે નો ઓવર ઇટ જૈન ધર્મ ત્યાગ પ્રધાન ધર્મ છે. અનુભવીઓ કહે છે લોકોની બીમારીનું કારણ તપ નથી. અતિ આહાર છે ઠાંસી ઠાંસીને પેટ ભરનારા રોગોથી ઘેરાય છે. ભૂખ કરતાં જરાક ઓછું ખાનારા સુખનો અનુભવ કરી શકે છે. કમ સે કમ રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા અનેક રોગોથી બચી શકે છે. જૈનસંતો કરનારા અનેક રોગોથી બચી શકે છે જૈનો સંતો જીવનભર રાત્રિભોજન નો ત્યાગ કરનારા હોય છે.

તો તેના ઉપાસકો શું આઠ દિવસ ન છોડી શકે ! જરુર છે માત્ર સંકલ્પની જમવા માટે નહિ માત્ર જીવવા માટે જમતા શીખવું જરુરી છે.

ત્રીજું સુત્ર છે નો ઓવર વાઇઝ હંમેશા બીજાને વધુ પડતી સલાહ આપવી નહિ ઘણીવાર આપણે આપણા જ ગાણા ગાતા રહીએ છીએ. સામેવાળાની ક્ષમતાનો વિચાર કરતા,ં નથી ! દોઢડાહ્યા થવામાં ઘણીવાર જોખમ વધી જાય છે. માટે સમજીને બોલવામાં મજા છે.

છેલ્લે…. છેલ્લે…. જીવનને મધુર બનાવવા અને પ્રસન્નતાને ટકાવવા નાની નાની વાતોમાં લેટ ગો કરતાં શીખવું તેમજ જયાં ઇગો હઠ થાય ત્યાં લેગ ગોડ કરતા શીખવું મન ન માને તો પણ હરિ જે કરશે તે મમ હિતનું, એ નિશ્ર્ચય બદલાય નહી આમ ભગવાન પર ભરોસો વિશ્વાસ રાખીને અહમને નમાવનાર અહમ (ભગવાન) બન્યા વિના રહેશે નહિ.

“સમય માનવીને મોટા બનાવે છે, સમજ માનવીને મહાન બનાવે છે”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.