Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ તબીબો ભાજપામાં જોડાયા હતા.

Advertisement

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઉપસ્થિત સૌ તબીબોને ભાજપાનો ખેસ પહેરાવી ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે તેઓએ મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, દેશભરમાં અને ગુજરાતમાં ભાજપા સંગઠન પર્વ અને સદસ્યતા વૃધ્ધિ અભિયાન સકારાત્મક રીતે આગળ વધી રહ્યુ છે અને વિવિધ ક્ષેત્રના લોકો રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત ભાજપામાં રાષ્ટ્રહિતને સર્વોપરી માનનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાજીના નેતૃત્વથી પ્રેરાઇને જોડાઇ રહ્યા છે.

આ પ્રસંગે સુપ્રસિધ્ધ લેખક, ચિંતક અને તબીબ ડો. શરદ ઠાકરે જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયમાં ભારતીય રાજકારણનો શ્રેષ્ઠ યોગ ચાલી રહ્યો છે. આજે દેશ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપમાં સર્વસ્વીકૃતિ ધરાવતું પ્રભાવશાળી નિર્ણયશક્તિ સાથેનું શ્રેષ્ઠ નેતૃત્વ છે. કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એ અનુચ્છેદ હટાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સાવરીયો રે મારો સાવરીયો ખોબો માંગુ ને દઇ દે દરિયો પંક્તિને યથાર્થ કરી છે. આજે દેશના ૧૩૦ કરોડ નાગરિકો માટે ભરોસાનું બીજુ નામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ છે.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, વિવિધ સેલના પ્રભારી ડો. અનિલ પટેલ તથા ભાજપા ડોકટર સેલના ક્ધવીનર વિષ્ણુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.