Abtak Media Google News

અબતક જયેશ પરમાર, સોમનાથ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રીમાં મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા પિતા હરબંસસિંહ નગી અને જગજીત સીંગ નગી તેમજ  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવરસેવા સમેતીના માધ્યમથી સ્વ. સોની અરવિંદ ભાઈ પી સતીકુંવર સ્વ સોની પુનમ બેન ધાણક ના સમણાથે મેડીકલ આરોગ્ય ની તકેદારી સાથે નિદાન કેમ્પનુ આયોજન કરેલ.

જેનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી ના વરદ હસ્તે ઉદધાટન થયેલ જેમાં જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એકયુઝીટીવ ઓફિસર  દીલીપભાઈ ચાવડા  અને સુરેન્દ્રસિહ જાડેજા જીતુપુરી બાપુ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ડો ડીકે બારડ હોસ્પિટલ ની ટીમ તેમજ સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ ની ટીમ દ્વારા 764 વિવિધ  દર્દ ના દર્દીઓને આરોગ્યની તપાસ અને નિ:શુલ્ક દવા સાથે ફ્રી નિદાન થયેલ. જેમાં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર લક્ષ્મીબેન સોની યુસુફ ભાઈ ગામેતી અને હરનીશ ભાઈ સોની રારછ પરિવાર અને સોમનાથ ટ્રસ્ટ પરિવારના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.