Abtak Media Google News

અબતક, રાજકોટ

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમ વિસ્તારોના ફ્રી એજ્યુકેશન કલાસમાં બાળકો માટે “આપડા તહેવારો” વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં દરેક બાળકોએ હોંશભેર ભાગ લીધેલ અને પોતાની સુંદર કૃતિઓ રજુ કરેલ. જેની સંપૂર્ણ તૈયારી ક્લાસ ટીચર ભાવનાબેન મહેતાએ કરાવી હતી.

સ્પર્ધા બાદ દરેક બાળકોને એજ્યુકેશનલ ગિફ્ટ આપવામાં આવેલ અને ઘરનો જ બનાવેલ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડ, આશાબેન રાઠોડ, ભાવનાબેન મહેતા તથા જામનગરની ટીમે સુંદર જહેમત ઉઠાવી હતી. સંસ્થાની સેવાકીય કાર્યોની વધુ માહિતી માટે અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે સંસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડ (મો. 9227714459 ) પર સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.