Abtak Media Google News

શહેરના ત્રણેય ઝોનમાં કામગીરી ચાલુ: ફરિયાદોનો ધડાધડ નિકાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જવા પામી છે. ચૂંટણી જાહેર થયાના દિવસથી જ કોર્પોરેશન દ્વારા રાજમાર્ગો પર લગાવવામાં આવેલા રાજકીય પક્ષોના બોર્ડ-બેનર, પોસ્ટર અને ઝંડીઓ ઉતારવાની કામગીરી પૂરજોશમાં કરી દેવામાં આવી છે. દરમિયાન આજે બપોર સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાંથી 831 બોર્ડ-બેનરો જપ્ત કરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી શહેરભરમાં દબાણ હટાવ શાખા દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બોર્ડ-બેનરો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજે બપોર સુધીમાં 831 બોર્ડ-બેનરો, પોસ્ટર અને ઝંડીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે વિસ્તારોમાં બોર્ડ-બેનરો લાગેલા છે તે અંગેની ફરિયાદો મળી રહી છે ત્યાં વધુ પ્રાધાન્ય આપીને તેને હટાવવાની કામગીરી થઇ રહી છે. આજ સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી આટોપી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.