Abtak Media Google News

મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનનાં પીજીડીસીસીનાં વિદ્યાર્થીઓએ ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસન અને ડો. ધારા આર. દોશી નાં માર્ગદર્શન હેઠળ આજની માતાઓ હાલરડાં વિશે કેટલું જ્ઞાન ધરાવે છે એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Advertisement

માં એક જ એવી વ્યક્તિ છે જે આપણને દુનિયાથી નવ મહિના વધુ ઓળખે છે. સ્ત્રી જ્યારે માં બને છે ત્યારે તેનું એક નવું રૂપ જોવા મળે છે. તેની દુનિયા બાળકની આસપાસ જ ફરતી હોય છે. બાળક ની સાર સંભાળમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જેમાંની એક મહત્વની બાબત માતા બાળકોને કઈ રીતે સુવડાવે છે?

આધુનિક માતાઓ હાલરડાં થકી વાત્સલ્ય ભાવના વ્યક્ત કરવામાં અસમર્થ: 202 જેટલી માતાઓ પર ટેલિફોનિક સંપર્ક સાધી મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે હાથ ધરાયો

ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી પેઢી દર પેઢી માતાઓ તેના બાળકોને હાલરડાં ગાઈને સુવડાવતી આવી છે. હાલરડાં થી માતા અને બાળક વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે. હાલરડું બાળકનાં મગજનાં ઘણાં ભાગોને વારાફરતી ઉત્તેજિત કરે છે, જે બાળકનાં મગજને વિકાસ તરફ દોરી જાય છે. હાલરડું સાંભળવાથી બાળકની ભાષા શીખવાની ક્ષમતા માં વધારો થાય છે. હાલરડાં એ દરેક નાનકડાં ભુલકાંઓનો હક્ક છે. પરંતુ કમનસીબે, આજનાં યુગમાં ઘણાં બાળકો હાલરડાંથી વંચિત જોવા મળે છે.

સર્વેના તારણો

ટેલીફોનીક કે રૂબરૂમાં માતાઓને  હાલરડાં જણાવવાનું કહેવામાં આવ્યું હતું. 92.2% માતાઓને હાલરડાં આવડતા નથી. માત્ર 7.8% માતાઓને જ હાલરડાં આવડે છે. 87% માતાઓ પોતાના બાળકોને ફોન આપી સુવડાવે છે.

બાળકને મોબાઇલ પકડાવી સુવડાવી દેવું ગંભીર

સર્વેમાં પ્રાપ્ત થયેલ પરિણામોનાં કારણોમાં એવું કહી શકાય કે આજની માતાઓ પશ્ચિમી સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત થઈ છે, આપણો ભારતીય સંસ્કૃતિનો ખજાનો મૂકી તેઓએ પશ્ચિમી દેશોની નકલ કરવા માટે આંધળી દોટ મુકી છે. મોટાભાગની માતાઓને પોતે જ મોબાઇલનું એડિકશન જોવા મળે છે, જે તેના બાળકમાં આપમેળે જ રોપાય છે. આજના યુગની સ્ત્રીઓની ભૂમિકાઓ વધી છે, કોઈ વાર તે બધી જગ્યાએ પહોંચી વળતી નથી તેથી બાળકને મોબાઇલ પકડાવી સુવડાવી દયે છે. બહુ ઓછી એવી માતાઓ જોવા મળી કે જે મોબાઇલની ગંભીર અસરો જાણે છે અને મોબાઇલથી તેના બાળકોને દૂર રાખી હાલરડાં ગાઈને સુવડાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.