રાજકોટ ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે આગામી તા.૧/૯ થી ૬/૯ સુધી બ્રહ્મનીષ્ઠ સંતો અને એર્કાતીક ભકતોનાં સાનિધ્યમાં ૫૬મો બ્રહ્મસત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત તા.૨૭ને શુક્રવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તા.૨૬ને ગુરુવારે સાંજે ૫ કલાકે જળયાત્રા તથા તા.૨૭ને શુક્રવારે સવારે ૬:૧૫ કલાકે ઘનશ્યામ મહારાજનો અભિષેક, સાંજે ૭ થી ૮ કલાકે નિત્ય ધુન-સત્સંગ, ૯ થી ૧૨:૩૦ કલાકે ગુરુવંદના કાર્યક્રમ, ૯:૦૦ કલાકે અન્નકુટ દર્શન-આરતી તથા ૯ થી ૧૨ કલાક દરમિયાન શ્રી હરીયાગ સહિતના કાર્યક્રમોની વણઝાર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમાં મહોત્સવ યજમાનો દ્વારા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ, સંત-ભોજન-પુજન, અન્નકુટના દર્શન, બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત