Abtak Media Google News

આ વર્ષે દેશભક્તિના જુવાળ વચ્ચે 15મી ઓગસ્ટ નિમિતે શહેરના અગ્રવાલ સમાજના યુવાનો દ્વારા દેશપ્રેમ સાથે 1100 મીટરના તિરંગાની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 125થી વધુ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ આ રેલીમાં જોડાયા હતા.

રાષ્ટ્ર ધર્મથી ઉપર બીજો કોઈ ધર્મ નથી એ મેસેજ સમાજને આપવા માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 1.1 કિલોમીટર લાંબો અને 9 ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ લઈને રેલી યોજવામાં આવી હતી. રેલી મગદલ્લા રોડના રીયા પાર્ટી પ્લોટથી નીકળી ડુમસ રોડના વાય જંકશન પર સમાપ્ત થઈ હતી.

જેમાં 125થી વધુ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ આ રેલીમાં જોડાયા હતા.લાઈવ ડાન્સ, નૃત્ય નાટીકા અને સાથે સાથે લાઈવ ડિજેમાં દેશ ભક્તિના ગીતો વગાડવામાં આવી ઉજવણી કરાવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.