Abtak Media Google News

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં અનુ.જાતિના અતિ પછાત એવા વાલ્મીકી સમાજના ૨૫૦ થીવધુ રોજમદાર સફાઇ કામદારો મજુર સપ્લાય, કોન્ટ્રાકટ બેઇઝમાં કામ કરી હ્યા છે. આ કર્મચારીઓના પગાર બે માસ પુર થવા આવ્યા હોવા છતાં  ચુકવેલ નથી. તેમજ હાલ ૧પ -૯ થી ૨-૧૦ સુધી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ ચાલતા હોય ત્યારે સફાઇ કામદાર શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરી હ્યા છે તેમ છતાં આ સફાઇ કામદારોને પગાર ચુકવવામાં આવેલ નથી.

આ બાબતને ગંભીરતાથી લેવામાં નહી આવે તો યુનિયનના સભ્ય કામદારો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવશે. તેવી કર્મચારી સંઘે ચીફ ઓફીસર રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.