અમરેલી મહાસંમેલન બાબતે રાજકોટના શ્યામમંદિર ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જ્ઞાતિના પ્રમુખ ઉધોગપતિ અને સતાધારની જગ્યાના સેવક ઉર્વીબેન તથા ભરતભાઈ ટાંકની હાજરી આપી મહાસંમેલન વિશે ચર્ચા કરી હતી. આ મહાસંમેલનમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ યોજાશે. આ મહાસંમેલનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગને સફળ બનાવવા શ્યામ મંદિરના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ચંદુભાઈ તથા વોર્ડ નં.૧૩ના બીજેપી પ્રભારી હાર્દિક ટાંક તેમજ અનેક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. તા.૨૩/૧૨/૨૦૧૮ના રોજ યોજાનાર મહાસંમેલનમાં સર્વે જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ