Abtak Media Google News
જમ્મુ કાશ્મીરના પુલવામા જીલ્લામાં સીઆરપીએફના જવાનો પર પાકિસ્તાન સ્થિત આંતકવાદી જૂથના તથા પાકિસ્તાન પ્રેરિત ISI સાથે જોડાયેલ આંતકવાદી દ્વારા થયેલા હુમલામાં 43 થી વધુ જવાનો શહીદ થતાં આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા 1164 ફ્લેટધારકોની બનેલી શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરના રહેવાસીઓએ 16 ફેબ્રુઆરી 2019સાંજે 8:30 કલાકે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.આ કાર્યક્રમ દરમિયાન અત્રેના રહેવાસી નિવૃત્ત સૈનિકોએ સરહદ પરની સ્થિતિથી સમગ્ર લોકોને અવગત કરાવ્યા.7C57Bdfa E3Fb 43Bb 9Ffa D3Efd0Ea7Cd8
રંગોલી પાર્ક તરીકે જાણીતી આ સોસાયટીની દીકરીએ… શહીદોને શ્રદ્ધાંજલિ આપતું વક્તવ્ય આપ્યું.
અત્યંત સંવેદનશીલ વક્તવ્ય અત્રે ઉપસ્થિત જનમેદનીની આંખોને ભીંજવી ગયું. શોકમગ્ન રહેવાસીઓએ બે મિનિટ મૌન બાદ .. વીર શહીદો અમર રહો ના ગગનભેદી નારાઓ સાથે સળગતી મીણબત્તી લઇ રેલી કાઢી.D1F33F7D 5327 46Fb A7F4 0E26Bd9B40Cc
મોટામવા ગામ ના સરપંચ શ્રી વિજયભાઈ કોરાટ તેમજ નિવૃત્ત સૈનિકોની આગેવાની હેઠળ અત્રેના રહેવાસી બાળકો, યુવાનો, યુવતીઓ, બહેનો-માતાઓ અને વડીલો ની વિશાળ કેન્ડલ માર્ચ  કાલાવડ રોડ અને બીજા રિંગરોડના ક્રોસીંગ પાસે
શિસ્તબદ્ધ રીતે પહોંચી શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.Ba8Cb7Ea Bc9C 4Dcc Bf87 Ce5C7Daed0D9
પુલવામા જિલ્લામાં  પાક પ્રેરિત ના પાક આતંકવાદીઓ દ્વારા થયેલ અધમ કાયર કૃત્ય ને વખોડી , સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થાય અને રાષ્ટ્રના વીર શહીદોને સાચા અર્થમાં ન્યાય મળે તે માટે વર્તમાન વડાપ્રધાન શ્રી દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તેમાં સંપૂર્ણ સમર્થન આપવાના એક મત સાથે, રાષ્ટ્ર વિરોધી શક્તિઓનો સમૂળ નાશ થાય તેવી પરમ ને પ્રાર્થના કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.