Abtak Media Google News

પૂ.ગોકુલોત્સવજી મહારાજના સર્વાઘ્યક્ષે યોજાશે મહોત્સવ

રાજકોટ ખાતે તા. ૧૫-૩ થી ૨૧-૩ સુધી યોજાનાર સોમયટ મહોત્સવની વ્યવસ્થા અંગેની જુદી જુદી ર૯ કમીટીઓની રચના કરવામાં આવી છે.

ગોવર્ધન ગૌશાળાના સેવાર્થે તા. ૧૫ થી ૨૧ સુધી પહ્મશ્રી એવમ પહ્મભૂષણ સોમયાજી જગતગુરુ પીઠાધીશ્ર્વર વલ્લભસંપ્રાદયાચાર્ય પૂ.પા. ગો.ડો. ગોકુલોત્સવજી મહારાજના સર્વાઘ્યસ સ્થાને તથા યજ્ઞાચાર્ય સોમયજી પૂ.પા.ગો. વ્રજોત્સવજી બાવાના કરકમલો દ્વારા યોજાનાર વિરાટ સોમયજ્ઞ મહોત્સવની વ્યવસ્થા અંગે જુદી જુદી ર૯ સમીતીઓની રચના કરવામાં આવી હતી. જેમાં અનેક સેવાભાવી ભાઇ-બહેનોએ ઉત્સાસપૂર્વક સેવામાં જોડાવા તૈયારી બનાવી હતી.

સોમયજ્ઞ મહોત્સવ સમીતીના મંત્રી સંયોજક જેરામભાઇ વાડોલીયા તથા સહ મંત્રી અરવિંદભાઇ પાટડીયાએ સોમયજ્ઞ વિશે વિસ્તારપૂર્વક સમજણ આપેલ હતી. જુદી જુદી સમીતી જેવી કે સ્વાગતસમીતી, કાર્યાલય સમીતી, વિષ્ણુગોપાલ કાર્યાલય સમીતી, સરકારી કામકાજ અંગેની સમીતી, પ્રચાર પ્રસાર સમીતી વગેરેની સેવાયજ્ઞમાં જોડાવા ઇચ્છતા ધર્માનુરાગી ભાઇ-બહેનોને ઉ૫સ્થિત રહેવા ગોવર્ધન ગૌશાળા પરિવાર મહોત્સવ સમીતી જાહેર નિમંત્રણ પાઠવે છે.વધુ માહીતી માટે મો. નં. ૯૩૭૭૧ ૨૭૮૩૦ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.