શહેરના ઈન્દીરા સર્કલ ખાતે પ્રીન્સ યુવા ગ્રુપ દ્વારા ૯ વર્ષથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ સાંસ્કૃતીક પ્રોગ્રામ કરવામાં આવે છે. તેમજ રોજ અલગ અલગ મહાનુભાવો તેમજ ભકતો મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. જેમાં ભાજપના કાશ્મીરાબેન નથવાણી આરતીમાં ઉપસ્થિત રહી આરતી તથા અન્નકુટના દર્શન કર્યા હતા. તેમજ આરતીનો લાભ લીધો હતો. તથા ગણેશ પંડાલ માનવ મેદનીથી ખીચોખીચ ભરાઈ ગયો હતો આ તકે અબતક સાથેની વાતચીતમાં પ્રીન્સ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઈ એ કહ્યું હતુ કે છેલ્લા પાંચ વષૅથી મહોત્સવનું આયોજન કરીએ છીએ આજે અન્નકોટમાં ૫૬ ભોગનું આયોજન કરવામાં આવેલ છે. શ્રેષ્ઠ મૂર્તિમાં ગુજરાતમાંથી દ્વિતિય ઈનામ મળેલ છે. સ્વચ્છ, અભિયાનમાં પણ એવોર્ડ મળેલ છે. અમદાવાદ તરફથી ખાસ કરીને મહાઆરતી સત્યનારાયણ ભગવાનની કથા તથા શ્રીનાથજી ભગવાનની ઝાંખીનો પ્રોગ્રામ કરેલ છે. કાલે શ્રીનાથજી ભગવાનની ઝાંખી છે.તમામ સ્વયંસેવકોને પૂરો સપોર્ટ હોય તોજ અમે આ બધુ કરી શકીએ છીએ. ખાસ કરીને બધી જાતનો સપોર્ટ અમારા સ્વયંસેવકો કરે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ