ખરીફ ઋતુમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયા છે. આ સિઝનમાં પાક ઉત્પાદન નહિવત જ આવશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા મુજબ જે-તે વિસ્તારોનું પાક ઉત્પાદન ૫૦ ટકાથી ઓછું આવે એમ લાગે છે તો તાત્કાલિક સર્વે કરી પાક કાપણીનાં અખતરાની રાહ જોયા વગર પાક વિમા પોલીસી ધારક ખેડુતોને ૨૫ ટકા ઓન એકાઉન્ટ ચુકવણું કરવું જોઈએ તેવી રજુઆત છે. આ દિશામાં જરૂરી તમામ પગલા લઈ જે વિસ્તારોમાં ખેડુતોના પાકોનું બહોળુ નુકસાન થયું છે અને ઉત્પાદન ૫૦ ટકાથી પણ નીચે આવવાનું છે તો તમામ ખેડુતોને તાત્કાલિક ધોરણે ૨૫ ટકા ઓન એકાઉન્ટ ચુકવણુ કરવા માટે યુનિવર્સલ સોમ્પો વિમા કંપનીને આદેશ આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડુતો કાળી મજુરી કરી વિમાનું પ્રીમીયમ ભરે છે એટલે જયારે પાક નિષ્ફળ જાય ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત અસરગ્રસ્ત ખેડુતોને ન્યાય મળવો જોઈએ તેવી પણ રજુઆત કરાઈ છે.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?