Abtak Media Google News

૨૦ દિવસ પહેલા લાપત્તા બનેલા પ્રેમીયુગલના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા બન્નેના પરિવારમાં અરેરાટી

રાજકોટ શહેરનાં સામાકાંઠા વિસ્તારનાં પ્રેમી-પંખીડાએ બગદાણા નજીક આવેલા ધાર્મીક સ્થળ ભગુડા ખાતે ધર્મશાળાનાં રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાણ બગદાણા પોલીસ મથકનાં સ્ટાફને થતા દોડી જઈ સ્ટાફે વાલી-વારસનો સંપર્ક કરી બંને મૃતકોનું પી.એમ. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની જાણ મૃતકોનાં પરીવારજનોને થતા દોડી જઈ શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જીલ્લાનાં બગદાણા નજીક આવેલા ભગુડા સોનબાઈમાંનાં મંદિરની ધર્મશાળાનાં રૂમમાં બે દિવસથી ઉતરેલા પ્રવાસી રૂમમાંથી બહાર ન નીકળતા સંસ્થાનાં કર્મચારી દ્વારા રૂમ ખટખટાવતા રૂમનું બારણું કોઈ ન ખોલતા કર્મચારીને કઈ અજુગતુ બન્યાની માલુમ પડતા બગદાણા પોલીસ મથકને જાણ કરતા પી.એસ.આઈ. સી.એચ.મકવાણા અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ભગુડા ખાતે દોડી ગયા હતા.

7537D2F3

પોલીસ સ્ટાફે દરવાજો ખોલતા જેમાં પ્રેમી-પંખીડા ગળાફાંસો ખાધેલી હાલતમાં પડયા હતા. પોલીસને મૃતક યુવકનાં ખીસ્સામાંથી મળી આવેલા કાર્ડનાં આધારે યુવક રાજકોટનાં સામાકાંઠે આવેલા ભગીરથ સોસાયટીનો રવિ જીવણ મકવાણા નામનો ૨૫ વર્ષિય યુવાન અને યુવતિ મુળ ચોટીલા તાલુકાનાં ચીરોડા ગામની વતની અને હાલ શહેરનાં સંતકબીર રોડ પર ગોકુલનગર મેઈન પર રહેતા ગોકળભાઈ અમરાભાઈ ઓતરાદી નામનાં યુવાનની ૧૬ વર્ષની પુત્રી હોવાની ખુલતા પોલીસે બંને મૃતકનાં પરીવારજનોને જાણ કરતા બગદાણા ખાતે દોડી ગયા હતા. પોલીસે બંને મૃતકોનાં પી.એમ. કરાવી મૃતદેહ પરીવારજનોને સોંપ્યો હતો. તેમજ પોલીસની પ્રાથમીક તપાસમાં રવિ જીવણ મકવાણા ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગત ૩૦/૧૦ નાં રોજ અપહરણ કરી ગયાની થોરાળા પોલીસ મથકમાં સગીરાનાં માતાએ ફરીયાદ નોંધાવી હતી. તેમજ પોલીસ ફરીયાદનાં ડર તેમજ સગીરાની ઉંમર નાની હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હોવાથી અને સમાજ આ સંબંધને નહીં સ્વીકારે તેવા ભયથી આ બંને પ્રેમી-પંખીડાએ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.