Abtak Media Google News

ભારતની સાથે વિશ્વભરમાં કોરોનાની બીજી લહેર આક્રમક થઈ રહી છે. આ સંક્ર્મણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર રસીકરણના વેગમાં ખુબ વધારો કર્યો છે. અત્યારે દેશમાં કોરોના ચેપનું વધતું પ્રમાણ જોયને સરકાર વેક્સીન માટે એક મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

દેશમાં કોરોનાનું સંક્ર્મણ વધતા જલ્દી વિદેશી વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે. હાલમાં દેશમાં રસીના બે ડોઝ આપવામાં આવે છે. રસી બનવાતી વિદેશી કંપીનીઓમાંથી એક ફાઈજર કંપનીના CEO એલ્બર્ટ બૉર્લોએ કહ્યું કે, “એની રસી લેવા વારાને 1વર્ષની અંદર ‘બૂસ્ટર ડોઝ’ મતલબકે ત્રીજો ડોઝ લેવો પડે. લોકોને દર વર્ષે કોરોના વાયરસ સામે લડવા રસી લેવી પડે, પણ હજી આના પર પુષ્ટિ થવાની બાકી છે. રસીના કેટલા ડોઝ લેવા પડે તેનો આધાર કોરોનાના સંક્ર્મણ પર રહેશે.’

કોરોના રસીના શોધકરતાએ કહ્યા મુજબ, ‘રસી લીધા પછી કેટલો સમય એ તમને રક્ષણ આપે એ વાત પર હજી સુધી કોઈ પાક્કી માહિતી મેળવી શકાય નથી.’ ફાઈજર કંપની દ્વારા આવેલા અહેવાલમાં જાણવા મળ્યું કે, ‘આ કંપનીની રસી કોરોના સામે 91 દિવસ સુધી રક્ષણ આપે છે. રસીના બે ડોઝ લીધા પછી 6 માસ સુધી કોરોના સામે રક્ષણ મળે છે.’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.