Abtak Media Google News

જામનગર, વિરેન્દ્રસિંહ પરમાર: આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. ધરમેન્દ્રસિંહ જાડેજા દ્વારા જે રીતે પોતાનો જન્મ દિવસ ઉજ્જવમાં આવ્યો તે બીજા લોકોને એક શીખ આપે છે. લોકોની સેવા અને મદદ કરવાના ઉદ્દેશ્યને સિદ્ધ કરતા તે પોતાનો જન્મ દિવસ ઉજવે છે.

22 મે, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ પોતાના જન્મદિવસે લોકોના ઘર સુધી જઈ તેમને પ્રધાનમંત્રી વીમા યોજનાના ફોર્મ ભરાવી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. રાજ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, જામનગરમાં 78 તથા 79 વિધાનસભાના અંદાજે 1.25 લાખ જેટલા પરિવારોના મુખ્ય વ્યક્તિઓના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવેલ છે અને આગામી 1લી ઓગસ્ટે મંત્રી આર.સી.ફળદુના જન્મ દિવસે એટલે કે આજથી માત્ર 70 દિવસના ટુંકાગાળમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે.


આ વિમા યોજનાનો તમામ ખર્ચ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ તથા અમારા દ્વાર ચૂકવી લોકોને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરાયો છે. આ તકે શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, મહામંત્રી સર્વે મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંમણીયા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર સર્વે સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ, જયરાજસિંહ, રાજુભાઈ તથા આલાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ લોકોના વિમા યોજનાના ફોર્મ ભરાવવાની કામગીરીમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.