Abtak Media Google News

ઓક્સિજનથી સમૃધ્ધ મીયાવાંકી ફોરેસ્ટનું સોમવારે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ

વાગુદળ રોડ પર 8358 ચો.મી. જમીનમાં 23725 વૃક્ષોનું વાવેતર ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું: એક વર્ષમાં મિયાવાંકી ફોરેસ્ટમાં હરિયાળીનો ઝળહળાટ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 65માં જન્મદિવસ નિમિતે ગત વર્ષે કોર્પોરેશન અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાગુદળ રોડ પર 8358 ચો.મી. જમીનમાં જાપાનની મિયાવાંકી પદ્ધતિથી 23725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. એક વર્ષના સમયગાળા આ ફોરેસ્ટમાં હરિયાળીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે. આગામી સોમવારે મુખ્યમંત્રી દ્વારા સવારે મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું છે કે, સોમવારે સવારે 09:00 કલાકે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટનું અર્પણ  મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 65માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં 8358 ચો.મી. જગ્યામાં જુદા જુદા 6 બ્લોકમાં કુલ 23725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-1,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકારશ્રી તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત 19-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં  વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે  ઘનિષ્ઠ  વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે ન્યુનત જગ્યાના  મહતમ ઉપયોગ કરી સ્થાનિકેના ફ્લોરા  ફોન્ના ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ  જગ્યામાં જન સહયોગ થકી જાપાનીઝ ટેકનોલોજી મુજબથી મિયાવાકી- થીમ આધારીત ફોરેસ્ટ  ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ 2020માં અંદાજીત 1 એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (111) જાતના અંદાજીત 9500 પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં  સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ તરફ્થી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ 2 એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત 26000 વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ મિયાવાકી થીમ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-ઇ ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, ગ્રિન બેલ્ટ હેતુની અંદાજીત 153 એકર જમીન રાજ્ય સરકારશ્રી તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની 47 એકર જમીનમાં રામવન વિકસીત કરવામાં આવી રહ્યુ છે.

આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી 28 થી 36 વિવિધ જાતના અંદાજીત 60000 થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.

આ જગ્યાને વિકાસકિય તબ્બકે રામવન નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાન શ્રી રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ 14 જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે.

આ અર્બન ફોરેસ્ટ રામવનના વિસ્તારમાં વોટર -હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે.

આ વિસ્તારને કાયમી જાળવણી અને વિકાસ  કરવા માટે સ્થાનિકેના કાયમી રીતે વહી જતા બિન પિવાલાયક પાણીના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ વિકસીત કરાતા રામવન ટૂક સમયમાં પ્રજાજોગ ઉપયોગમાં મુકવામાં  આવે તે રીતે કામગીરીઓ ગતિમાં છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગજરાત પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો વિગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.