Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટના ચાંચડીયા ગામે રહેતો અને પાનની દુકાન ધરાવતાં યુવાને ગત તા.20ના સાંજે પોતાના ઘરે હતો ત્યારે પત્ની સાથે ઝઘડો થતાં તેણે કેરોસીન છાંટી આપઘાત પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  માહિતી મુજબ રાજકોટનાં ચાંચડીયા ગામે રહેતાં સંદીપભાઈ બાવકુભાઈ કુમારખાણીયા (ઉ.વ.30)એ ગત તા.20ના પત્ની સાથે ગણપતિ પધરાવવા જતાં હતા.

ત્યારે પત્નીએ કપડાં કેમ બદલાવ્યા તે બાબતે ઝઘડો થતાં પતિને તે વાતનું માઠુ લાગી આવતા તેને કેરોસીન છાંટી આપઘાત કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, સંદીપભાઈ 2 ભાઈ અને 2 બેનમાં નાના હતા અને પાનની દુકાન ધરાવતા હતા. પત્ની સાથે ઝઘડો થતાં આ પગલુ ભરી લીધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.