Abtak Media Google News

મંદિર-મસ્જિદને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. ઐતિહાસિક ઈમારતોના હિંદુ ભૂતકાળ અંગેની અરજીઓ પણ કોર્ટમાં પડતર છે.

જ્ઞાનવાપી મસ્જિદ પર હિંદુ અને મુસ્લિમ પક્ષો સામસામે છે. તેની આગ હવે અન્ય રાજ્યોમાં પણ પહોંચી છે. કર્ણાટકની જામા મસ્જિદ વિશે પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે અને કુતુબમિનાર અને તાજમહેલના સર્વેની માંગ પણ ઉઠી રહી છે. આ દરમિયાન RSS વડા મોહન ભાગવતનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે દરેક મસ્જિદમાં શિવલિંગની શોધ કરવી યોગ્ય નથી. તેમના નિવેદનનું અનેક પક્ષોએ સ્વાગત કર્યું છે અને ઘણા વિરોધ પક્ષો પણ આમાં સામેલ છે.

જાણો શું કહ્યું સંઘના વડાએ ?
Mohan Bhagwat 1200 5

સંઘના વડા મોહન ભાગવત ત્રીજા વર્ષ 2022ના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં નાગપુરમાં હતા. તેમણે અહીં આપેલા ભાષણની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. સંઘ પ્રમુખે કહ્યું, ઈતિહાસ એ છે જેને આપણે બદલી શકતા નથી. તે ન તો આજના હિંદુઓએ બંધાવ્યું હતું કે ન તો આજના મુસ્લિમોએ, તે સમયે થયું હતું. દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ શોધવું? આ યોગ્ય નથી. શા માટે આપણે વિવાદને વધારવા માંગીએ છીએ ? આપણે દરરોજ નવો કેસ લાવવો જોઈએ નહીં.

કુતુબ મિનાર હોય, જામા મસ્જિદ હોય કે તાજમહેલ હોય, તેમના વિશે નવા-નવા દાવાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં RSS વડા મોહન ભાગવતનું નિવેદન હેડલાઈન્સમાં છે.

શિવસેનાએ શું કહ્યું ?

Raut 1 2

શિવસેનાએ સંઘ પ્રમુખના નિવેદનનું સ્વાગત કર્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, હું તેમના નિવેદનનું સમર્થન કરું છું. આ દિન પ્રતિદિન અરાજકતાનો અંત આવવો જોઈએ, નહીં તો દેશને નુકસાન થશે. મસ્જિદોમાં શિવલિંગ જોવાને બદલે કાશ્મીરી પંડિતોના જીવ કેવી રીતે બચાવી શકાય તે વિશે વિચારવું જોઈએ.

 

શું છે JDUનું સ્ટેન્ડ ?

Bihar Opposition Faces In House Shortcomings In Tapping Jdu Bjp Anti Incumbency

જેડીયુના નેતા અને બિહાર સરકારમાં મંત્રી બિજેન્દ્ર પ્રસાદે કહ્યું કે, દેશ બિનજરૂરી વિવાદોમાં ફસાઈ રહ્યો છે. કાયદામાં દરેક સમસ્યાનો ઉકેલ છે, પરંતુ ધર્મના નામે બિનજરૂરી રીતે તણાવ વધારવાનો પ્રયાસ ન થવો જોઈએ.

 

દેવબંદના ઉલેમાએ શું કહ્યું ?
363128 Darul Uloom Deoband Afp 1465379059

દેવબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ પણ સંઘ પ્રમુખના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે તમામ દેશવાસીઓ ઈચ્છે છે કે દેશમાં શાંતિ અને સૌહાર્દ કેવી રીતે સ્થપાય. મંદિર-મસ્જિદના રાજકારણમાં ફસાઈ જઈશું તો દેશ બરબાદ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.