Abtak Media Google News

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભજન સંધ્યા, વિષ્ણુ યાગ યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા, તથા ભવ્ય નગરચર્યા અને મહાપ્રસાદ સહિતના ત્રિદિવસીય કાર્યક્રમો  યોજાશે

પુરીમાં બિરાજતા જગન્નાથ ભગવાન જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ જૂનાગઢના ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ ભગવાન જગન્નાથજી મંદિરે બિરાજમાન છે, જ્યા આગામી અષાઢી બીજના પાવન દિવસ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની 18 મી ભવ્ય નગરચર્યા સહિતના વિવિધ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ’રથયાત્રા એટલે સામૂહિક એકતાનો સંદેશ’ અષાઢી બીજ અંતર્ગત જગન્નાથજી મંદિર ખાતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમમાં તા. 29 ને બુધવારે રાત્રે નવ વાગે સ્વ મુકુંદભાઈ સૂચક આયોજિત રાધા કૃષ્ણ ભક્તિ સંગીત ગ્રુપ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. તો રથયાત્રાના પૂર્વ દિવસે તારીખ 30 ના રોજ મંદિર ખાતે સવારે 9 થી 4 ભવ્ય વિષ્ણુ યાગ યજ્ઞ, તેમજ રાત્રે આઠથી દસ કલાક સુધી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે અષાઢી બીજના પાવન દિવસે મંદિરે ખાતે સવારે હાંડી ભોગ પ્રસાદ, ઉપરાંત ભગવાનનું શાહી સ્નાન તથા બપોરે 3:30 વાગે જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગરચર્યા રથયાત્રા શહેરના માર્ગો પર પ્રસ્થાન કરશે. રથયાત્રાના ત્રણેય રથો ને ભાવિકો દ્વારા તેમજ બહેન સુભદ્રાજીના રથને બહેનો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે. શહેરના ગંધ્રપ વાળા લાઈન ખાતે આવેલ જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા સેજના ઓટે થઈ લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોકથી જવાહર રોડ અને ભીડભંજન મંદિર થઈ જગન્નાથજી મંદિરે પરત ફરશે. આ રથયાત્રામાં વિવિધ ફલોટ ઉપરાંત રાસ મંડળી , ધૂન મંડળ બેન્ડ બાજા સહિતના યુવક મંડળો તથા સંતો મહંતો શહેરના રાજકીય-સામાજિક આગેવાનો,  ભાવિકો જોડાશે.       અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા સંપન્ન થયા બાદ  ભાવિકો માટે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રે આઠ વાગે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમ પૂર્વક ઉજવણી ઉજવવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના પ્રમુખ મોટા પીર બાવા મહંત તનસુખગીરી બાપુના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ જનકભાઈ પુરોહિત, નલાભાઇ કોટેચા,  ભીખુભાઈ રાઠોડ, મંત્રી મનસુખભાઈ વાજા,  સહમંત્રી પિટી પરમાર, નવનીત ભાઈ શાહ , બીપીનભાઈ ભટ્ટી , વિજયભાઈ કિકાણી, ખજાનચી રાજેન્દ્ર ભાઈ ચુડાસમા તથા સહ ખજાનચી વીરેનભાઈ શાહ, પ્રફુલભાઈ પોપટ તેમજ  જગન્નાથજી મંદિરના મહંત હિતેશભાઇ વ્યાસ, રથયાત્રા કારોબારી, કાર્ય સંકલન અને મહિલા અગ્રણીઓ સહિતની ટીમના સભ્યો દ્વારા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.