Abtak Media Google News

સરકારે કર્મચારીઓના સાતમાં પગાર પંચની સાત માંગણીઓ નો કોઇ જવાબ ન આપતા રેલીનું આયોજન

ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત સરકારમાં રજુ કરેલ ગુજરાત રાજયની ૧૬૨ નગરપાલિકાઓના કર્મચારીઓની સાતમાં પગાર પંચ અંતર્ગતનાં સાત મુદ્દાઓની માંગણીઓનો ગુજરાત સરકાર કોઇ હકારાત્મક નિર્ણય નહી થવાથી ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તા. ૪-૧૦ બુધવાર સવારે ૧૦ થી ૫ કલાક સુધી સત્યાગ્રહ છાવણી (પ્રદર્શન મેદાન) સેકટર-૬ ગાંધીનગર માં ધરણાનો કાર્યક્રમ અને આજ સ્થળ પરીથી વિશાળ સંખ્યામાં કર્મચારીની રેલીનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત રાજયની ૧૬૨ નગરપાલિકાઓના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. તેમજ ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ કે. ઝાલા ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અમરેલી જીલ્લા પ્રમુખ દિપક કે. ગલથિયાની  અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.