Abtak Media Google News

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા અને પરિવાર દ્વારા  કોરોના કાળમાં દિવંગતોના મોક્ષાર્થે જ્ઞાનયજ્ઞ યોજાયો

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથા કોરોના કાળમાં દિવંગત થયેલા લોકોના મોક્ષાર્થે યોજવામાં આવી છે. આ કથાના વ્યાસપીઠ પર પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન થયા છે.

સપ્તાહમાં કોરોના કાળમાં દિવંગત થયેલા લોકોના ફોટા મૂકી વિધિ વિધાન પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમ આજે સવારે 10:30 કલાકે શરુ થયો હતો. જેમાં પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમાયેલા ભાજપાના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાગવત કથાના પ્રથમ દિવસે કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોધરાએ પણ શ્રીમદ્દ ભાગવત સપ્તાહના શ્રાવણનો લાભ લીધો હતો તેમજ હજારો લોકોએ પ્રથમ દિવસની કથા શ્રવણનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.