Abtak Media Google News
  • એટીએમમાં પૈસા જમા કરાવનારને પોલીસે માથામાં પટ્ટા મારતા ગભરાયેલા યુવાને ગળફાંસો ખાધ
  • ઉચ્ચ અધિકારીઓ ચોક્કસ ન્યાયની બાહેધરી આપે તો જ મૃતદેહ સ્વીકારશું : મૃતકના પરિવારજનો

જસદણમાં બે દિવસ પૂર્વે ગીતાનગરમાં આવેલા બેંક ઓફ બરોડાની શાખાના એટીએમમાંથી રૂ. ૧૭.૩૩ લાખની ચોરી થયાની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ શંકાસ્પદ શખસો સામે ફરિયાદ નોંધાયા બાદ આ ચકચારી બનાવમાં રાજકોટના યુવાનને જસદણ પોલીસે ઢોર માર મારતા હતાસ થઈ ગયેલા યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસે આ યુવાનના માથામાં બેલ્ટ મારતા હોવાનો મૃતકના આક્ષેપ કર્યો હતો અને તેને ચોરીની કબુલાત કરવા માટે પ્રેશર કરવામાં આવતું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.જે મામલે જો કોઈ જવાબદાર અધિકારી દ્વારા ચોક્કસ ન્યાયની બાહેધરી આપવામાં આવશે ત્યારે જ મૃતકની લાશ સ્વીકારવાનું જણાવ્યું હતું.

બનાવની વિગતો મુજબ રાજકોટના બેડીનાકા ટાવર પાસે રહેતા અને એટીએમ સેન્ટરમાં નાણા ટ્રાન્સફ્ટ કરતી સિક્યોર કંપનીમાં નોકરી કરતા જયપુરી અતુલપૂરી ગોસ્વામી નામના ૨૩ વર્ષીય યુવાને ગઈકાલ સાંજે સાડા પાંચે પોતાના ઘરે ઓરડીમાં ચાદર બાંધી આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે તેના પિતરાઈ ભાઈ દીપએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જસદણના એ ટી એમ માં પૈસા નાખ્યાના બે દિવસ બાદ ચોરી થઇ હતી જેથી જયને મેનેજરે નિવેદન માટે જસદણ પોલીસ સ્ટેશને જવાનું છે તેમ કહેતા પિતા સાથે ગયા હતા ત્યાં કોઈ પોલીસમેને મારકૂટ કરી હતી.

ત્યારે સાથે ગયેલા પિતાએ તેને એક જ કીડની છે અને ઓપરેશન કરાવ્યું છે મારકૂટ ન કરવા વિનંતી કરતા પોલીસે તમે બહાર નીકળો અમે અમારી કાર્યવાહી કરીશું કહી બહાર કાઢ્યા બાદ પોલીસ મેને મૃતક યુવકના માથામાં બેલ્ટ માર્યા હતા અને વહેલી સવારે ફરિયાદ નોંધી જવા દીધા હતા મારકૂટથી હતાસ થયેલા યુવાને આ પગલું ભરી લીધું હતું એકના એક આધારસ્તંભ દીકરાના મોતથી દંપતી શોકમાં ગરકાવ થઇ ગયું છે અને મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.

જ્યારે આ મામલે પોલીસવાળા જયપાલસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે ચોરીની ઘટનામાં પૂછતાછ મામલે મૃતક યુવાનને બોલાવવામાં આવ્યો હતો. બાદ તેને પોતાના ઘરે જઈ આપઘાત કરી લીધો હતો જેથી તે મામલે કારણ જાણવા ઇન્કવાયરી માટેના આદેશો આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.