Abtak Media Google News
કેટરર્સના કર્મીઓની વચ્ચે ચાલતી માથાકૂટમાં દરમિયાનગીરી કરતા યુવાનને છરીનો ઘા માર્યો : સગીર સહિત ચાર ઘાયલ

શહેરના આંબેડકર નગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ફુલેકા દરમિયાન કેટરર્સના કર્મીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં ત્રણ શખ્સો એકબીજાને માર મારી રહ્યા હતા ત્યારે વચ્ચે પડેલા યુવાનને આ ત્રણેય શખ્સોએ છરી ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ આંબેડકર નગરમાં રહેતા અને કેટરર્સનું કામકાજ કરતા કરણ પ્રેમજી મહિડા (ઉ.વ.19), તેનો પિતરાઈ ભાઇ રોહિત ચંદુ મહિડા (ઉ.વ.17) અને હિતેશ મનજી પરમાર (ઉ.વ.20) અંદરો અંદર માથાકૂટ કરતા હોય જેમાં એકબીજા પર પથ્થર અને કડા વડે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તે દરમિયાન ફૂલેકામાં ડીજેના કામકાજ માટે આવેલા અને ગંજીવાડામાં રહેતો મહેશ મુળજીભાઈ મકવાણા નામનો 26 વર્ષનો યુવાન આ માથાકૂટમાં વચ્ચે પડી છોડાવવા ગયો હતો. તે દરમિયાન ઉશ્કેરાયેલા આ કરણ મહિડા સહિતના ત્રણેય શખ્સોએ માથામાં ખુરશીના ઘા મારી પેટના ભાગે છરી ઝીકી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા મહેશ મકવાણાને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને કરણ મહિડા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ કે.એસ.ઝાલા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.