Abtak Media Google News

જામનગરમાં ચોર હોવાની આશંકાએ ટોળાએ ચાર મહિલાઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના જામનગરની આશાપુરા ખડકી નજીક વાઘેરવાળા પાસેની છે જ્યાં બાળકોની તસ્કરી કરતી હોવાની આશંકાના આધારે લોકોએ મહિલાઓને જાહેરમાં માર માર્યો હતો.

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તેઓને એવી શંકા હતી કે આ મહિલાઓ બાળકોને ઉપાડી લઈને બાળકોની તસ્કરી કરે છે. જેથી રોષે ભરાયેલા લોકોએ મહિલાઓને જાહેરમાં માર માર્યો હતો.

Screenshot 1 14

થોડા સમય પહેલા આવી જ એક ઘટના વડોદરામાં બની હતી જ્યાં રેલવે સ્ટેશન પરથી દિલ્હીથી બાળકોની તસ્કરી કરતી એક ગેંગ ઝડપાઈ હતી. ત્યારે જામનગરમાં બાળકોની તસ્કરી કરતી હોવાની આશંકાએ ચાર મહિલાઓ પર લોકોનું ટોળું વિફરતા દરેક મહિલાઓને માર મારવા લાગ્યા હતા. આ સમગ્ર બબાલ દરમિયાન એક મહિલા નાસી છુટી હતી.

આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના પહોચીને મામલો થાળે પાડ્યો હતો. ત્રણેય મહિલાઓને ડીટેઇન કરી હતી અને સારવાર માટે હોસ્પિટમાં ખસેડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.