Abtak Media Google News

જેતપુરના અમરનગર રોડ પર રહેતા પીજીવીસીએલના કર્મચારીએ સ્યુસાઇડ નોટ લખી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા મૃતકના પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છ.ે પોલીસે વંથલી પંથકની એક યુવતી અને તેના બે સાગરિતોની શોધખોળ હાથધરી છે.

વંથલી પંથકની એક યુવતી બે સાગરિતો સાથે મળી બ્લેક મેઇલીંગ કરવામાં આવતા કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરનગર રોડ પર રહેતા હર્ષદ જયંતીભાઇ વણઝારા નામના 38 વર્ષના લોહાણા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

મૃતક પીજીવીસીએલમાં નોકરી કરતો હોવાનું અને અપરિણીત છે. તેને ચારેક વર્ષ પહેલાં વંથલીની યુવતી અને તેના બે સાગરિતોએ હનીટ્રેપમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવતા હોવા અંગેની સ્યુસાઇડ નોટ પોલીસને મળી આવતા પોલીસે કબ્જે કરી છે.

જેતપુર પી.આઇ. અજીતસિંહ હેરમા અને એએસઆઇ મજનુભાઇ સહિતના સ્ટાફે સ્યુસાઇડ નોટના આધારે વંથલીની યુવતી અને તેના બે સાગરિતોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.