Abtak Media Google News

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન પર બનેલી “અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરી ફિલ્મ  રાજકોટ ખાતે મેયર બંગલે  નિહાળી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ   આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે મોડયુલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરીને જંગી સભાને સંબોધન કર્યું હતું. ત્યારે બાદ તેઓ રાજકોટના મેયર ના  નિવાસસ્થાને પધાર્યા હતા.

Advertisement

Vadnagar

દેશના પનોતા પુત્ર અને સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વતન એવા વડનગર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અનંત અનાદિ વડનગર તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મનું આજે રાત્રે નવ કલાકે ડિસ્કવરી ચેનલ પર પ્રસારણ થયું હતું.

આ તકે   મેયર ડો. પ્રદીપ ડવ, રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ  મોહનભાઈ કુંડારિયા,  રામભાઇ મોકરિયા રાજકોટના ધારાસભ્યો ડો. દર્શિતાબહેન શાહ,  ઉદય કાનગડ તેમજ  શહેર ભાજપ પ્રમુખ  મુકેશ દોશી  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.