Abtak Media Google News

ખગોળીય અને ચમત્કારિક ઘટનાઓનો નજારો આપણને ખૂબ ઓછી જોવા મળે છે લગભગ વર્ષમાં એક જ વાર થતી હોય છે આવી જ કઇંક ચમત્કારિક ઘટના ગુજરાતમાં બનવાની છે. આ એક અલૌકીક ખગોળીય ઘટના હશે જે અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર આવેલા જૈન મંદિર પર જોવા મળશે. આ ચમત્કારિક નજારો વર્ષ 1987થી જોવા મળી રહ્યો છે.

12 53 1

આ નજારો મહાવીર જૈનના આરાધના ભવનમાં બપોરે 2 ક્લાકને 7 મિનિટે જોવા મળશે આ ઘટનાને સૂર્યતિલકની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનામાં મહત્વની બાબત એ છે કે આ સૂર્યતિલકની ઘટનાનું પહેલું કિરણ મહાવીર સ્વામીના ભાલ પર પડશે. આ અદ્ભુત નજારો જોવા માટે દેશભરમાથી હજારો લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ભક્તો સોશિયલ મીડિયાના માદયમ દ્વારા આ લાભ મેળવી શકશે.

આ ઘટના પાછળનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્ચિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ક્યારેય પણ વક્ર ગતિ કરતો નથી. આ જૈન દેરાસરનું નિર્માણ પણ એ રીતે થયું છે કે તે સૂર્યકિરણનો પ્રકાશ મહાવીર સ્વામીના તિલક પર જ પડે છે.

11 58 1024X593 1

ઘણા વર્ષોથી આ ઘટના આ સૂર્ય તિલકની ઘટના બની નથી તેથી ભક્તોમાં આ ઘટના જોવાની ઉત્સુકતા વધુ છે. જૈનધર્મનું કદાચ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. આ ઘટના આજ રોજ બપોરે 2.05 મિનિટે જોવા મળશે. સાથે જ આ અદભૂત ઘટના જીવનમાં યશ,કિર્તિ અને ઉન્નતિકારક બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.