Abtak Media Google News

વર્તમાન સમયમાં પૃથ્વી પર વારંવાર જે પ્રાકૃતિક આપત્તિઓ આવી રહી છે તેને ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિકોએ આ બાબતે નવી શોધ કરી છે. આઇન્સ્ટીન પેન વેવ્ઝ અનુસાર માણસની સ્વાદેન્દ્રિય પૃથ્વી પર સર્જાતા સંકટો માટે ક્યાંક ને ક્યાંક અચૂક જવાબદાર ઠરે છે. ખાસ કરીને મનુષ્યની માંસાહાર કરવાની આદત આ બાબતનું મૂળ છે. દુનિયાના ઓછામાં ઓછા 50 લાખ નાના મોટા કતલખાનાઓમાં દરરોજ 50 લાખ કરોડ મેગાવોટની મારક ક્ષમતાવાળી તરંગો અથવા ઇપીડબ્લ્યુ ઉત્પન્ન થાય છે.

જ્યારે જાનવરોને કાપી નાખવામાં આવે છે ત્યારે તેમને લાંબા સમય સુધી ભૂખ્યા રાખવામાં આવે છે, તેમને કમજોર કરવામાં આવે છે ત્યારબાદ એમનાં પર 80ડિગ્રી સેન્ટિગ્રેટનું ગરમ પાણી છાંટવામાં આવે છે જેનાથી એમનું શરીર ફુલાવવા માંડે છે ત્યારે ગાય, ભેંસ, બકરી તડપે છે. ચીસો પાડે છે તેવા જ સમયે તેમની ખાલ ઉતેડવામાં આવે છે અને એમાંથી નીકળતું લોહી પણ એકઠું કરવામાં આવે છે પછી ધીમે ધીમે એમની ડોક અને શરીરનાં અન્ય અંગો કાપવામાં આવે છે.

આજનાં આધુનિક વિજ્ઞાનથી એ સિદ્ધ કરવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે જાનવર હોય કે માણસ જો એમને ક્રુરતાથી કે ઉંમર પુરી થયા પહેલા મારી નાખવામાં આવે છે તો એમનાં શરીરમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા સમગ્ર સૃષ્ટિમાં ફેલાય જાય છે જે વાતાવરણને ખૂબ પ્રભાવિત કરે છે. આ પ્રકારની વધુ પડતી અસર એવા લોકોને થાય છે જે લોકો માંસનું સેવન કરતાં હોય વળી એકવાર માંસનું સેવન કર્યા પછી તેનો દુષ્પ્રભાવ 18 મહિનાઓ સુધી ચાલે છે.

આથી માંસનું સેવન કરનાર વ્યક્તિ તથા તેના પરિજન અધિક તણાવગ્રસ્ત, દુ:ખી અને ભયંકર રોગીથી પીડાય છે. આથી મનુષ્યમાં જિદ્દ કરવી, ગાળો આપવી, ચોરી કરવી, બીજાનું કશુંક લઈ લેવું, અત્યંત ક્રોધ, હિંસા કરવાની પ્રવૃત્તિ વગેરે વધતી જાય છે જેથી સમગ્ર દુનિયામાં અત્યાચાર અને પાપ ઉતપન્ન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.