Abtak Media Google News

રાજકોટની સગીરા અને શાપરના યુવાને એક નહીં થવાની બીકે સાથે જીવન ટૂંકાવ્યું

શાપર-વેરાવળ નજીક આવેલા પડવલા પાસે રાજકોટની તરૂણીઅને શાપરના યુવાને પરિવાર એક નહીં થવા દે તેવી બીકે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો છે.આ બનાવ અંગે શાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-પડવલા વચ્ચે રેલવે પાટા પર યુવક અને યુવતિ કપાયેલી હાલતમાં પડી હોવાની શાપર-વેરાવળ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી ગયા હતા.

પોલીસે મૃતકોના ખિસ્સામાંથી મળે આવેલા ઓળખ કાર્ડના આધારે યુવક શાપરનો હોવાનું અને મકવાણા ઘનશ્યામ હિંમતભાઇ અને ઉમ્ર આશરે ર૧ વર્ષની અને  યુવતી ગોંડલ રોડ ૨૫વારીયા કવાર્ટરમાં રહેતી જયશ્રીબેન મુકેશભાઈ અને આધારકાર્ડમાં દર્શાવેલા જન્મ તારીખ પ્રમાણે ઉ.૧૪ વર્ષ હોવાનું બહાર આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં બંને સાથે કારખાનામાં કામ કરતા હોય અથવા બંને સંબંધી હોય અને પ્રેમ સંબંધ બંધાયા હોય અને સમાજ નહી સ્વીકારે તેમજ જયશ્રીબેનનીઉંમર નાની હોય આથી લગ્ન થઈ શકે તેમ નહોયઆથી બંનેએ સજોડે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો હોય તેવું પ્રથમ દ્રષ્ટી બહાર આવી રહ્યું છે.શાપર પોલીસ મથકના પીએસઆઈ વાય.બી. રાણા, રાઈટર નાથાભાઈ રાઠોડ સહિતનો સ્ટાફ દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.