Abtak Media Google News
  • બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા
  • બ્લાસ્ટ દરમિયાન રસ્તાં પર ચાલનારી એક રાહદારી મહિલા ઈજાગ્રસ્ત
અમદાવાદ ન્યૂઝ 
અમદાવાદના ચાંગોદર પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી. આગ લગતા બે લોકોના મોત નિપજ્યાં.  પ્રાથમિક માહિતી અનુસાર ચાંગોદર નજીક સરી પાટીયા પાસે આવેલા મેલડી માતાના મંદિર પાસે આ ઘટના બની હતી.

અમદાવાદના ચાંગોદર પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.  ચાંગોદર પાસે સરી પાટીયા પાસે મેલડી માતાના મંદિર પાસે ટ્રકમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે ટ્રકમાં આગ લાગી હતી.જેના કારણે ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિ માથી 2 લોકોના મોત થયા.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તાં પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે.

ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાના કારણે આખો હાઇવે રૉડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ વાત છે કે, અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલીન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીના હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.