Abtak Media Google News

અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિરની સ્કૂલ બસ પલ્ટી મારતા અંદર 20થી વધુ વિદ્યાર્થીઓ હતા. બસે પલ્ટી મારતા જ વિદ્યાર્થીઓની ચીચીયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને બસનો પાછળનો કાચ તોડી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા. જેમાં 8થી 10 વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલે ખસેડાયા હતા.

Advertisement

1 1522401574પ્રાપ્ત વિગત મુજબ અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિરની બસ અમરેલીના દેવળીયા પાટીયા પાસે પલ્ટી મારી ગઇ હતી. જેથી અંદર રહેલા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી કરી મુકી હતી. આઠથી દસ જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાસ્થળે રાહદારીઓ તેમજ વાલીઓ દોડી આવ્યા હતા. હાઇવે પર થોડીવાર ટ્રાફિકજામ થતા દોડી આવેલી પોલીસે લાઠીચાર્જ કર્યાની પણ ફરિયાદ ઉઠી છે. અમરેલી તાલુકા પોલીસના આ વરવા સ્વરૂપ સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.