Abtak Media Google News

માણાવદર   માલધારી સમાજ તથા સમસ્ત ગૌ ભક્ત અને હિન્દુ સમાજ દ્વારા ગૌ ભક્ત ની થયેલ હત્યા મામલે આજરોજ માણાવદર મામલતદાર વાય.પી.જોષી ને એક આવેદનપત્ર પાઠવ્યું હતુ  આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યના ખેરપુર ગામના માલધારી સમાજ ના નવ યુવાન અને ગૌ ભકત સ્વ. રાજુભાઇ ગાંડાભાઈ રબારી  જેમના માટે ગૌ માતાની સેવા સિવાઇ બીજું કંઈ ના હોય જેમના દ્વારા અવારનવાર ગૌમાતા ના કતલખાના નો વિરોધ કરવામાં આવતો હતો

આ ગૌ ભકત ને સમાધાન બાબતે બોલાવી કતલખાના બંધ કરાવો નો ખાર રાખી દગાથી હત્યા કરવામાં આવેલ તે હત્યારાઑને કડકમાં કડક સજા કરી સ્વ. રાજુભાઇ ના પરિવાર ને ન્યાય મળે તેમજ સમસ્ત ગૌરક્ષકો ને સલામતી સચવાય તેમજ આવા ગૌરક્ષકો  ના હત્યારાઑને ફાંસી ની સજા મળે તેવી સમસ્ત માલધારી તેમજ હિન્દુ સમાજ અને ગૌ ભક્તો ની માંગ ઉઠી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.