Abtak Media Google News

રાજકોટ નેશનલ હાઈવે અને ભુણાવા ગામ પાસે આવેલ વાંધેશ્વર મહાદેવ મંદિરમાં ૫ થી ૭ દિવસ નું નવજાતશિશુ મળી આવતા માનવ સેવા સમાજ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજગુરુને જાણ કરતા બાલાશ્રમ ના ચેરમેન અનિતાબેન રાજગુરુ સહિતના વાંધેશ્વર મહાદેવ મંદિરે દોડી જઇ બાળક ને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયુ.

બનાવ અંગે ની જાણ થતાં ગોંડલ તાલુકા ના પોલિસ સ્ટેશન. ના આઇ.પી.એસ અમિત વસાવા સાહેબ તથા તાલુકા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલ પૂરતો બાળક ને આશરો ગોંડલ બાલાશ્રમ ખાતે અપાયો.

આ બાળક આશરે  7 થી 10 દિવસ ના નવજાત પુરુષ બાળક ને મૂકી કોઈ નાસી ગયેલ હોઈ જેથી આ બાળક ના માતા પિતા કે વાલીવારસ ની કોઈ ને માહિતી હોઈ તો જાણ કરવા વીનતી છે.

બાળક ત્યજી દેનાર અજાણ્યા માં બાપ વિરુદ્ધ પોલીસ જાતેજ ફરિયાદી બની ગોંડલ તાલુકા પોલીસ માં IPC 317 મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.