Abtak Media Google News

અપસેટ કિંમત રૂ|. ૧,૨૧,૬૧૦ નિયત કરાઈ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જયુબીલી શાકમાર્કેટ વિભાગ-૨માં ખાલસા કરવામાં આવેલા ૨૦ થડાની આગામી ૩ જુલાઈનાં રોજ જાહેર હરાજી કરવામાં આવશે જેની અપસેટ કિંમત રૂ|.૧,૨૧,૬૧૦ નિયત કરવામાં આવી છે. જયુબીલી શાકમાર્કેટ વિભાગ-૨માં ખાલસા કરવામાં આવેલા ૨૦ થડાની હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ હરાજીનાં સમયે સવારે ૯:૩૦ કલાકે સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે. જાહેર હરાજી કરી શાકભાજી, ફળ-ફળાદી, વસ્તુઓનાં વેચાણ માટે લીઝ પર આપવામાં આવશે. વધુ વિગત માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીનાં ત્રીજા માળે, રૂમ નં.૦૯માં એસ્ટેટ વિભાગનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.